તાલિબાનો અફઘાનિસ્તાનમાં હિન્દુઓ-શીખોની જમીન પરત કરશે garavigujarat.biz
છેલ્લાં કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે સંબંધો સુધારવા ભારતે લીધેલા પગલાંની અસર દેખાઈ રહી છે. તાલિબાનના અધિકારીઓએ અફઘાનિસ્તાન સ્થિત હિન્દુ અને શીખ લઘુમતીઓને તેમની જમીન પરત કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે.
આ મુદ્દે તાલિબાનના એક અધિકારીએ કહ્યું હતું કે, આ પહેલ અફઘાનિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પ્રત્યે અન્યાયને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી હિન્દુઓ અને શીખો વિસ્થાપિત થઈ રહ્યા છે અને તેઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.
Report Story